ઇશ્વરને આધીન કરીને થઇ જવાનું હળવાફૂલ
ઘણી વાતોનો કોઇ ઇલાજ જડ્યો જડતો નથી. પછી એ વાતો સંબંધની હોય, સ્વભાવની હોય, આદતની હોય કે બીજી કોઇક હોય. એવી વાતો માટે માથું પછાડવાથી છેવટે શું થાય, તો પોતાને જ પીડા થાય
નવું વરસ એટલે નવી આશાઓ, નવો ઉત્સાહ
નવું વરસ આવી ગયું. છેલ્લાં બે દિવસ લોકોએ એકમેકને ઢગલાબંધ શુભેચ્છાઓ આપી. સૌ જાણે હંગામી ધોરણે બધી તકલીફો ભૂલી ગયા. નવો દિવસ ગમે અને પેલી ઉજવણીનો ઉત્સાહ જેનામાં છલકતો જ રહે એ સૌથી સુખી છે
પિક્ચર અભી બાકી હૈ દોસ્ત!
સુખની, સંતોષની રાબનો સ્વાદ માણવો છે? તો ખરાબ સમયને સહન કરી નાખો. એનાથીયે આગળ કહીએ તો એન્જોય કરી નાખો. ક્યોં કિ હર એક અપ્સ એન્ડ ડાઉન્સ ઈમ્પોર્ટન્ટ હોતા હૈ
સારો વહેવાર દિવસમાં એકવાર થવો જોઈએ
કોઈક સગાના ઘરે જઈએ, પાડોશી સાથે મૃદુ-સ્નેહભર્યો વહેવાર કરીએ તો શું થાય? એ પાડોશી પોતાના કોઈક સગાને ત્યાં, કોઈક પ્રસંગમાં, એ વહેવાર યાદ કરશે. વહેવાર કરનારનાં વખાણ કરશે
બારીઓ ઉઘાડી હોય તો ધૂળ તો ઊડતી ઘરમાં આવે જ
- કલ્પના જોશી બે જુદાં જુદાં ઘરની વાત છે. બેઉ ઘરમાં એક જ દિવસે નવું રેફ્રિજરેટર વસાવવામાં આવ્યું. એક જ સરખું. દસ-બાર મહિના પછીની વાત. એક ઘરમાં રેફ્રિજરેટર આજે પણ એટલું જ નવું લાગતું હતું જેવું ખરીદયું ત્યારે હતું. ઘરના લોકો પોતાની વસ્તુની કેવી કાળજી લેતા હશે તેનો ખ્યાલ એના પરથી આવતો હતો. બીજા ઘરમાં...
પેટમાં ગડબડ છે, લોહી ચોખ્ખું કરવાની જરૂર છે
જેવું રૂપ બગડે, અણગમતું થાય તો શરીરનાં આંતરિક સત્યો બહાર આવવા માંડે. ત્યારે છેક ખબર પડે કે આ સૌંદર્ય પાછળ તો એવાં એવાં પરિબળ નિમિત્ત છે જેની ભાગ્યે જ પરવા કરવામાં આવે છે
બાથરૂમ સિંગર છે બેસ્ટ!
સીધી-સરળ વાત છે. જે કામ હૈયાથી થાય છે, તેના પર દુનિયા ઓવારી જાય છે. એ કામ થવું જોઈએ પૂરી પ્યોરિટી સાથે. પારકા સૂચન, મંતવ્ય કે રિએકશનના કરપ્શન વિના
એક ધક્કો શારીરિક અને એક લાગણીનો
બાળકને કશુંક લઇ આપ્યા પછી તેના ચહેરાનો આનંદ જોઇને જે સુખ તમે પામશો તે આનાથી પણ વિશિષ્ટ હશે.’ પેલા અક્કડ પ્રવાસીની આંખો પહોળી થઇ ગઇ. આજુબાજુના સૌ પણ વિચારતા થઇ ગયા
નકારાત્મક અભિગમ પંક્ચર પડેલા ટાયર જેવો હોય છે
નકારાત્મક અભિગમ પંક્ચર પડેલા ટાયર જેવો હોય છે. જ્યાં સુધી એને બદલો નહીં ત્યાં સુધી તમે ક્યાંય પહોંચી શકતા નથી. - અજ્ઞાત
શાંતિ તો અકબંધ રહેવી જ જોઈએ
કોઈ સમજવા જ તૈયાર નહીં કે વસ્તુઓ નશ્વર હોય છે અને ઘરની શાંતિ ઈશ્વર હોય છે. તૂટ્યાફૂટ્યા વિનાયે ઘરની અનેક ચીજો કાળક્રમે ફેંકવામાં કે બદલવામાં આવે છે
જગતને પોતાની દમનશક્તિથી વશમાં કરવા મક્કમ
પંચમહાભૂતમાંથી મળેલી ચીજોથી જો માનવી આટલી પ્રગતિ કરી શકે છે તો એનાથી જ બનેલા આપણે કેમ ના કરી શકીએ. અશક્ય એક જ ચીજ છે અને એ છે નિષ્ફળતા, સમજી ગયા?
લોકો ક્યારેક મનને પણ સાફસૂથરું કરે છે ખરા?
-કલ્પના જોશી રોજ સવારે સ્નાન કરીને ચોખ્ખાચટ રહેતા લોકો ક્યારેક મનને પણ સાફસૂથરું કરે છે ખરા? તનને લાગતો કચરો બાહ્ય હોય છે પણ મનને વળગતો ગંદવાડ આંતરિક હોય છે. મનની સાફસફાઈ ના થાય તો શું થાય ધીમે ધીમે એના પર કેટલીયે ગંદકીઓનાં જાળાં ચડી જાય. બાલ્યાવસ્થામાં આવું નથી થતું. બાળકો તેથી જ વર્તન, વાણી અને...

