Sanjay V Shah - Author, Journalist
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
Home
Articles
    Rankaar
    Entertainment
    Travel
    Literature
    Other
About
Contact
Sanjay V Shah - Author, Journalist
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
Entertainment

ઓટીટી સમાજ માટે ભયરૂપ બની રહ્યાં છે?

November 25, 2022 by egujarati No Comments

 

શ્રદ્ધા વાલકરની હત્યાએ સૌને વિચારતી કરી મૂક્યા છે કે ઓટીટી પર અસામાજિક બાબતોના ઘોડાપૂરથી દેશની યુવા પેઢીનું ધનોતપનોત તો નથી નીકળી રહ્યું? પહેલાં પણ આવા ગુના થતા હતા એનો બેનિફિટ ઓફ ડાઉટ આપીએ તો પણ એ નકારી શકાય નહીં કે ઓટીટી યુવાપેઢી પર અનેક જડબેસલાક અસર પાડે છે.
શ્રદ્ધા વાલકરની અમાનુષી હત્યા એના જ પ્રેમી આફતાબે કરી. આફતાબને ૨૦૦૬ની અમેરિકન ક્રાઇમ સિરીઝ ‘ડેક્સ્ટર’ જોઈને એની પ્રેરણા મળી, જેમાં ફોરેન્સિક ટેક્નિશિયન ડેક્સ્ટર મોર્ગનની વાત છે. માયામી મેટ્રો પોલીસ ડિપાર્ટમેન્ટમાં કામ કરતો મોર્ગન લોહીના ડાઘનું પૃથ્થકરણ કરવામાં માહેર છે. એના જીવનના સિક્કાની બીજી બાજુ ભયાવહ છે. ડેક્સ્ટર સિરિયલ કિલર પણ છે. જે હત્યારાઓ કાયદાની ચુંગાલમાંથી છટકી જાય એમનું એ ખૂન કરી નાખે છે.
થોડા દિવસો પહેલાં નેટફ્લિક્સ પર ‘ડેમર-મોન્સ્ટર: ધ જેફરી ડેમર સ્ટોરી’ નામનો શો સ્ટ્રીમ કર્યો. શું છે આ શોમાં? તે જેફરી ડેમર નામના એક અસલી અમેરિકન સિરિયલ કિલરની હબકી જવાય એવી બાયોપિક છે. આ શેતાન, કે જે હોમોસેક્સ્યુઅલ હતો, એણે ૧૭ જેટલા પુરુષો-છોકરાઓને મારી નાખ્યા હતા, એમના શરીરના ટુકડેટુકડા કરી નાખ્યા હતા. એ માત્ર હત્યારો નહોતો, માનવભક્ષી પણ હતો. પોતે જેમને મારી નાખ્યા હતા એમનું માંસ પણ એ ખાતો હતો. દુનિયાભરમાં નેટફ્લિક્સનો આ શો લાંબા સમય સુધી સુધી ટોપ-ટેનમાં રહ્યો. ભારતમાં પણ.
૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકાની ઘણી હિન્દી ફિલ્મોમાં ડેક્સ્ટર જેવાં પાત્રો આવતાં. એ પાત્રો અન્યાય સામે લડવા કાયદો હાથમાં લેતાં. તો પણ ફિલ્મોએ ગુનાખોરીને એવી નહોતી પોષી જેવી કદાચ ઓટીટી પ્લેટફોર્મ્સ પોષી રહ્યાં છે. ફિલ્મો દેશના અંતરિયાળ વિસ્તારોમાં ક્યારેય પગદંડો જમાવી શકી નથી. ટેલિવિઝને પણ ગુનાખોરીને બિનજરૂરી ઉત્તેજન આપ્યું નથી. ટીવી પણ દેશના ખૂણેખૂણે નથી પહોંચી શક્યું. ટીવીમાં સંસ્કૃતિ, રીતરિવાજ, પ્રથા, પારિવારિક મૂલ્યોનો અલગ અતિરેક ચાલે છે. ટીવી જોનારો બહુમતી વર્ગ મહિલાઓનો અને વડીલોનો છે. યુવાનો ટીવીથી ઓછા કનેક્ટેડ છે.
ઓટીટી આખા દેશમાં દરેકના હાથમાં છે. અંતરિયાળ વિસ્તારના ભારતીય પણ ઓટીટી જુએ છે. ઓટીટી પ્લેટફોર્મ્સને ફિલ્મ જેવી કડક કે ટીવી જેવી સ્વયંભૂ સેન્સરશિપ નથી નડતી. અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે એનો ગેરલાભ લઈ ઓટીટીએ માઝા મૂકી છે. ગુનાખોરી, સેક્સ, વ્યસન, ગાળો, ગંદા અને તંગ સંબંધો, દેશની હાંસી… ઓટીટીના મેગા માલમાં બધું મળે અને એ પણ થોકબંધ.
ભારતીય અઠવાડિયે સરેરાશ સાડાઆઠ કલાક ઓટીટી જુએ છે. ઓટીટી ઘણાના મગજની કમાન છટકાવી રહ્યું છે, ખાસ તો ટીનએજર્સ અને યુવાનોની. યુવાની સંતુલિત હોય તો શ્રેષ્ઠ અને છકે તો ડેન્જરસ. યુવાનોનો એક વર્ગ ઓટીટી જોઈ છકી રહ્યો છે. દારૂ, સિગારેટ, ર્ડ્ગ્સ, સેક્સ, અશ્લીલતા, ગાળાગાળી, વડીલોનું અપમાન, મનસ્વી વર્તન… યુવાનોના એક વર્ગને કશાનો છોછ નથી રહ્યો. ઓટીટીથી અનિદ્રા, ખિન્નતા, મેદસ્વીપણું, આંખની બીમારી વળગે એની પણ એમને પરવા નથી.
ઇન્ટરનેટને લીધે ઓટીટી સુલભ છે. ટીવી કે ફિલ્મથી વિપરિત એમાં દરેકને મનગમતું જોવાની પ્રાઇવસી છે. ઓટીટીના મેક્ઝિમમ કાર્યક્રમો ૧૮થી ૩૦ વરસના વયજૂથને માટે બને છે. એ પણ એવી રીતે છે કે એમને એનું વળગણ થઈ જાય. બિન્જ વાચિંગ મતલબ બધું પડતું મૂકીને આખી વેબ સિરીઝ એકઝાટકે જોઈ લેવી એ વળગણ જ છે.
ઓટીટીને લીધે યુવાનોમાં ગુનાખોરીની વૃત્તિ વધી છે? બહુમતી મનોવૈજ્ઞાનિકો અને ડોક્ટર્સ સહિત અનેક એકટર્સ અને સર્જકો પણ એવું માને છે. એક વર્ગ નથી પણ માનતો. નહીં માનતા વર્ગનો મત છે, ‘શ્રદ્ધા વાલકરનો કિસ્સો સામે આવ્યો એ અનાયાસ છે. આવા ગુના ઓટીટી આવવાની પહેલાં પણ થતા હતા. વળી, ઘણા (ઓટીટીને કારણે નહીં થતા) ગુના સામે આવતા નથી, કેમ કે સ્માર્ટ ગુનેગારો પોલીસને હાથતાળી આપવામાં ઉસ્તાદ હોય છે.’
‘દિલ્હી ક્રાઇમ’ સીઝન ટુમાં ચમકેલા જાણીતા અભિનેતા આદિલ હુસૈન આ સિચ્યુએશનને ભયાનક લેખાવતાં એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘ઘણા શો જાણે માણસની ડાર્ક સાઇડ દેખાડવાના નામે એનો ઉત્સવ મનાવે છે. આને રોકવાનો ઇલાજ એક જ છે કે સર્જકો પોતે પોતાને પૂછે તે હું શા માટે, શું, કોના માટે બનાવી રહ્યો છું? આ બનાવીને મારે જાગૃતિ આણવી છે કે નકરું સેન્સેશન સર્જવું છે?’
Continue reading
Share:
Reading time: 1 min
Travel

દુબઈ સફરઃ ભાગ દસ અને છેલ્લોઃ દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ઘરવાપસી

November 23, 2022 by egujarati No Comments

રિટર્ન ફ્લાઇટ દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટથી હતી. સમય મધરાત પછીનો હતો. અમે વહેલાસર ત્યાં પહોંચી જવાનું રાખ્યું. અલ જદ્દફ એરપોર્ટની સાવ નજીક છે. ધર્મેન્દ્રભાઈ અને ભાભી તથા પ્રણવ સૌ મૂકવા આવ્યાં. એરપોર્ટમાં ડ્રોપ ઓફ્ફ કરવા આવતાં વાહનોએ ફટાફટ રવાના થઈ જવું પડે. દુબઈ અત્યંત વ્યસ્ત એરપોર્ટ હોવાથી આ ગોઠવણ સમજી શકાય એવી હતી.

ધર્મેન્દ્રભાઈ સહિત પરિવારે અમને એરપોર્ટ ડ્રોપ કર્યાં કે ટ્રોલીમાં સામાન ગોઠવીને સવારી ઉપડી ચેક-ઇન માટે. ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોવાથી વેબ ચેક-ઇન થયું નહોતું. સ્પાઇસ જેટના કાઉન્ટર પર ચેક-ઇન સ્મૂધલી થયું. ઇન્ડિગોની ફ્લાઇટ હોય ત્યારે દેશ હોય કે વિદેશ, મારું મગજ ભમવા માંડે. આજ સુધી ભાગ્યે જ એવો અનુભવ રહ્યો છે કે ઇન્ડિગોની ફ્લાઇટમાં ચેક-ઇન સરળતાથી થયું હોય. બચી ત્યારે જવાય જ્યારે ડોમેસ્ટિક ફ્લાઇટમાં લગેજની માથાકૂટ વિના સીધા જવાનું હોય.

ઇન્ડિગોનો ગ્રાઉન્ડ સ્ટાફ કોને ખબર પણ તોરમાં હોય છે. દેશની સૌથી મોટી એરલાઇન અને ચેક-ઇનનાં ખાસ્સાં કાઉન્ટર્સ છતાં એનાં અમુક કાઉન્ટર્સ જ કામ કરતાં હોય છે. ગ્રાઉન્ડ સ્ટાફનો એટિટ્યુડ આપણા પર ઉપકાર કરતા હોય એવો જ લાગે. એવું જ ફ્લાઇટની અંદર પણ અનુભવ્યું છે. મને ઇન્ડિગોનો ભાગ્યે જ સારો અનુભવ છે. મારો પ્રયાસ એ હોય જ છે કે ઇન્ડિગોની ફ્લાઇટ બને તો ટાળવી છતાં, દર વખતે છુટકારો શક્ય થતો નથી.
સ્પાઇસ જેટનો ગ્રાઉન્ડ સ્ટાફ કાર્યક્ષમ હતો. ચેક-ઇન ત્વરિત થવા ઉપરાંત દરેક પેસેન્જરની કાળજી લેવાઈ રહી હતી એ વર્તાઈ આવતું હતું. સામાન આપીને અમે એરપોર્ટ મેટ્રોમાં સિક્યોરિટી ચેકિંગ સુધી પહોંચ્યાં. એ પણ ઝડપભેર થયું. દુબઈમાં સ્વયંચાલિત ગેટથી થઈને સિક્યોરિટી ચેક-ઇન માટે જઈ શકાય છે. એમાં કોઈકનાં બોર્ડિંગ પાસ કામ કરતાં હતાં તો કોઈકનાં નહીં. અમારાં બોર્ડિંગ પાસે દગો આપતાં ફિઝિકલ કાઉન્ટર જવું પડ્યું. તો પણ મુશ્કેલી કે વિલંબ ના નહીં. ગણતરીની મિનિટોમાં અમે વિધિ પતાવીને મોકળાં થઈ ગયાં.
દુબઈ એરપોર્ટ પર એમિરેટ્સની ફ્લાઇટ માટે બહેતર સુવિધાઓવાળું અલાયદું ટર્મિનલ છે. એરપોર્ટ 7,200 એકરમાં પથરાયેલું છે. મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટર્મિનલ સહિત, 1,850 એકરમાં પથરાયેલું છે. દુબઈ એરપોર્ટનું ટર્મિનલ થ્રી એમિરેટ્સ અને ફ્લાયદુબઈની ફ્લાઇટ્સ માટે છે. બાકીનાં બે ટર્મિનલ્સ અન્ય એરલાઇન્સ માટે છે. ત્રણેય ટર્મિનલ્સની સહિયારા વાર્ષિક નવ કરોડ પેસેન્જર હેન્ડલ કરવાની ક્ષમતા છે. શહેરથી 37 કિલોમીટરે દુબઈમાં અલ મખ્તોમ ઇન્ટરનેશનલ એરપોર્ટ આકાર લઈ રહ્યું છે. 2027 સુધીમાં એ સંપૂર્ણપણે તૈયાર થઈ જવાની ધારણા છે. એ 35,000 એકરમાં પથરાયેલું છે. એ વાર્ષિક 1.60થી 2.60 કરોડ કરોડ પેસેન્જર હેન્ડલ કરી શકશે. બેઉ એરપોર્ટની માલસામાન હેન્ડલ કરવાની કેપેસિટી પ્રચંડ છે.
Continue reading
Share:
Reading time: 1 min
Travel

દુબઈ સફરઃ ભાગ નવઃ પ્રગતિ અને યુએઈની ભાઈબંધી

November 23, 2022 by egujarati No Comments

એક વાત નક્કી છે. અમેરિકા કે યુરોપના રાગ તાણીને એમને સૌથી પ્રગતિશાળી ગણનારા લોકોને દુબઈની ક્ષમતાનો ખ્યાલ નથી. એવું જ ચીનનું છે જેને આપણે ભાંડતા હોઈએ છીએ. ચીન વિકસિત દેશોને છક્કડ ખવડાવે એવો દેશ છે. યુએઈની પ્રગતિ મુખ્યત્વે શાસકો અને પ્રજાની જીદ અને એમની કર્તવ્યપારાયણતાથી છે. નથી એ ઉત્પાદનક્ષેત્રે અવ્વલ કે નથી એની પાસે એવા નૈસર્ગિક ખજાના જેનાથી પ્રગતિ આસાન થાય. યુએઈ પાસે સૌથી મૂલ્યવાન છે વિઝન.

વિઝનની તાકાત પર યુએઈએએ અનેક મોરચે ઈર્ષ્યા કરાવે એવી પ્રગતિ સાધી છે. પચાસ વરસમાં ત્યાં સાક્ષરતાનું પ્રમાણ 48 ટકાથી વધીને 95 ટકા થયું છે. વિદ્યાર્થીઓમાં છોકરા-છોકરીઓ લગભગ સરખી સંખ્યામાં છે. જીડીપીના મામલે એ વિશ્વમાં સાતમા સ્થાને છે. 99 ટકા લોકો મોબાઇલ ધરાવે છે. હાઈ સ્પીડ ઇન્ટરનેટ આખા દેશમાં છે. 2019માં યુએઈના પ્રવાસીઓની સંખ્યા 1.67 કરોડ હતી. દુબઈ એરપોર્ટ વિશ્વનું એક સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. યુએઈની ફેડરલ નેશનલ કાઉન્સિલમાં સ્ત્રીઓનું પચાસ ટકા પ્રતિનિધિત્વ છે.
1970ના દાયકામાં સવાત્રણ લાખ જેટલું પશુધન ધરાવતા દેશમાં આજે પચાસ લાખથી વધુ પશુઓ છે. નામનો વરસાદ છતાં યુએઈમાં સૌને ચોવીસ કલાક પાણી મળે છે. વીજળીની સમસ્યા નથી. કાયદો અસરકારક છે. ગુના થાય પણ હીનતાની હદ વટાવનારા, રોજ અને અસંખ્ય થતા નથી. સરકાર કાર્યક્ષમ અને પ્રગતિલક્ષી છે. લોકોના જીવનમાં આડખીલી બનતા નિર્ણયો કે કામ કે બાધારૂપ ગંદું રાજકારણ સત્તાધીશો નથી રમતા.
ધાર્મિક નીતિ પણ સરાહનીય છે. સરકારમાં એક પ્રધાન ટોલરન્સ મિનિસ્ટર છે જે સર્વધર્મ સમભાવની ભાવના ટકી રહે એ માટે કામ કરે છે. દેશઘડતર માટે, પ્રજાની સુખાકારી, સમૃદ્ધિ માટે અનિવાર્ય ગુણો યુએઈએ આત્મસાત્ કર્યા છે. એની ભવિષ્યલક્ષી ગતિ તેજ છે. માનવધન વિના પ્રગતિ શક્ય નથી એ યુએઈ જાણે છે. એટલે એ વિદેશી ટેલેન્ટ સહર્ષ આવકારે છે. એ પણ ખરું કે વિદેશીઓ માટે વરસોના વૈતરાં પછી પણ સંપૂર્ણ નાગરિકત્વ મેળવું લગભગ ઇમ્પોસિબલ છે. યુએઈનું નાગરિકત્વ અરજી કરીને નહીં પણ રાજવી પરિવાર કે ઉચ્ચ અધિકારીની ભલામણથી મળી શકે છે. એ માટે ત્યાં 30 વરસનો વસવાટ, અરેબિક પર પ્રભુત્વ પણ જોઈએ.
નિવૃત્તિ પછી પેન્શન અને આર્થિક સુરક્ષિતતાના વિકલ્પો પણ નથી. એમાં ફેરફાર કરવાની દિશામાં કામ થઈ રહ્યું છે. થાય ત્યારે ખરું. કોવિડકાળમાં માનવધનની ટંચાઈએ યુએઈને ઘણા પાઠ શીખવ્યા. એમાંથી કશુંક શીખીને એ વિદેશીઓને નાગરિકત્વ આપવાના મામલે નક્કર પ્રગતિ સાધશે એવી આશા રાખી શકાય. એમ થાય તો ત્યાં વસતા અનેકને નાગરિકત્વ સાથે વિશ્વના એક સૌથી પાવરફુલ એવા એમિરેટી પાસપોર્ટ ઉપરાંત અનેક લાભ અને સન્માન મળશે.

ત્યાં વસતા ભારતીયોને નિવૃત્તિ પછીની સિક્યોરિટીની ચિંતા હોય છે. તેઓ જે બચત કરે એનું ભારતમાં રોકાણ કરે છે. આવક રોકાણ થઈ શકે એટલી સારી ના હોય એમના માટે નિવૃત્તિ પછી શું એ પ્રશ્ન વિકરાળ બની જાય છે. એવા ભારતીયોની સંખ્યા નાનીસૂની નથી. સામાન્ય નોકરી ધરાવતો ભારતીય ત્યાં પાંચેક હજાર દિરહામની આવકે પહોંચે તો પણ રકમ થઈ એક લાખ રૂપિયા આસપાસ. યુએઈના ખર્ચ સામે એ જબ્બર આવક નથી. એમાંથી કરકસર કરીને જે બચે એ બચે. પણ બે-અઢી અને ત્રણ હજાર દિરહામ આવક ધરાવતા ભારતીયો ઝાઝા છે.

યુવાનવયે ત્યાં જનારે અગવડ વચ્ચે રહેવાની તૈયારી રાખવી પડે છે. એણે બીજા કર્માચારીઓ સાથે સંકડાશમાં રહેવું પડે. કામકાજના કલાકો પણ વધારે હોઈ શકે. વ્હાઇટ કૉલર જૉબ્સ માટે યુએઈ જેટલું ઉપયુક્ત છે એટલું કદાચ બ્લ્યુ કૉલર જૉબ્સ માટે નથી. છતાં, વિદેશ વસવાની લાલચ અને અહીં કરતાં થોડા વધારે કમાવાની ગણતરી ભારતીયોને ત્યાં ખેંચી જાય છે. એ લોકોને કંપની તરફથી રહેવાની અને ભોજનની સગવડ મળ્યે ઠીકઠીક બચત થાય છે. એ જો પોતે કરવાનું આવ્યું તો બચત અઘરી થઈ જાય.
વેપારના મામલે એવી સમજણ છે કે દુબઈમાં કોઈ સીધા કર નથી. વાત સાચી પણ સિચ્યુએશન જલદી બદલાવાની છે. એની પૂર્વતૈયારી વરસોથી થઈ રહી હતી. સરકાર વેપારીઓ પાસેથી લેતીદેતીનો સવિસ્તર રેકોર્ડ એ માટે એકત્રિત કરી રહી હતી. હવે જૂન 2023 પછી ગમે ત્યારે સીધો કર લાગુ પડશે. નવા નિયમ અનુસાર પોણાચાર લાખથી વધુ દિરહામનો નફો ધરાવતા બિઝનેસે નવ ટકા ટેક્સ ચૂકવવાનો રહેશે. મતલબ 80 લાખ રૂપિયાથી વધુનો નફો કરતી કંપનીઓએ કર આપવો પડશે. એથી દુબઈમાં બિઝનેસ કરવો મોટી કંપનીઓ માટે થોડો મુશ્કેલ થશે કેમ કે નફાશક્તિ પર અસર પડશે જ.
Continue reading
Share:
Reading time: 1 min
Travel

દુબઈ સફરઃ ભાગ આઠઃ મ્યુઝિયમ ઓફ ધ ફ્યુચર

November 22, 2022 by egujarati No Comments

અમારી વિઝિટ વખતે દુબઈ નાં અમુક પર્યટનસ્થળો જાહેર જનતા ખુલ્યાં નહોતાં. કોવિડકાળ પછી સ્થિતિ સામાન્ય થઈ રહી છે પણ સંપૂર્ણપણે સામાન્ય થવાની બાકી છે. અમે દુબઈમાં પગ મૂક્યો હતો એ દિવસે સરકારે ફરજિયાત માસ્ક પહેરવાનો નિયમ હટાવ્યો હતો. એથી અમે માસ્ક પહેરવાથી છૂટ્યાં પણ એવા ઘણા હતા જેમની માસ્ક પહેરવાની આદત અકબંધ હતી.

મ્યુઝિયમ ઓફ ધ ફ્યુચર

શહેરના મરીના વિસ્તારના બ્લ્યુવોટર્સ આઇલેન્ડ સ્થિત ઐન દુબઈ ફેરીસ વ્હીલ ખુલ્યું નહોતું. ગ્લોબલ વિલેજ અને મિરેકલ ગાર્ડન પણ બંધ હતાં. લેગોલેન્ડ ખુલેલું પણ બાળકો સાથે હોય તો એ માણી શકાય. અબુધાબીનું બુકિંગ હતું પણ આગલા દિવસે એજન્ટનો ફોન આવ્યો કે શેખ ઝાયેદ ગ્રાન્ડ મોસ્ક (મસ્જિદ) અને એમિરેટ્સ પેલેસમાં પ્રવેશ નથી. કોવિડના નિયમોથી લોચો પડ્યો. મુલાકત રદ કરી. એક ચીજ અમે જાતે જતી કરી, ધાઉ ક્રૂઝ. ફરી ક્યારેક જશું તો માણી લેશું. જૂન મહિનામાં જ ખુલેલી મહમ્મદ બિન રાશીદ લાઇબ્રેરી ફેસ્ટિવલ સિટી મૉલ પાસે હતી. એની ઇમારત જાણે એક પુસ્તક! એના વિશે ઇન્ટરનેટ પણ વાંચી ત્યાં જવા તલપાપડ હતો. 30 સપ્ટેમ્બરે વિશ્વ ભાષાંતર દિવસે ઇવેન્ટ પણ હતી. એ દિવસનો અમારો કાર્યક્રમ આગોતરો નક્કી હોવાથી યોગ ના થયો. દુબઈના નેક્સ્ટ પ્રવાસમાં આખો દિવસ લાઇબ્રેરીને નામ થશે. ત્યાંની ભવ્ય મસ્જિદો માટે પણ પાકું આયોજન થશે.
માણેલી એક નોંધપાત્ર જગ્યા મ્યુઝિયમ ઓફ ધ ફ્યુચર હતી. શેખ ઝાયેદ રોડ સ્થિત ટ્રેડ સેન્ટર ટુ પાસે એ સ્થિત છે. ફેબ્રુઆરીમાં એ ખુલ્લું મુકાયું છે. એની ઇમારત સ્થાપત્યકળાનો ઉત્તમ નમૂનો છે. 77 મીટર ઊંચી ઇમારતનો કુલ વિસ્તાર 30,0000 ચોરસ મીટર છે. એમાં પિલર નથી. નિર્માણમાં નવેક વરસનો સમય લાગ્યો છે. વિશ્વની એ સૌથી ધ્યાનાકર્ષક ઇમારત ગણાઈ રહી છે. ડિઝાઇન છે કિલ્લા ડિઝાઇન આર્કિટેક્ચર સ્ટુડિયોના નિષ્ણાતોની. ઇમારતના મોખરાના એટલે બહારના ભાગ પર દુબઈના શાસકે લખેલી અરેબિક કવિતાની કેલિગ્રાફી છે.
મ્યુઝિયમ મુખ્યત્વે રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં થતી પ્રગતિને દર્શાવે છે. શહેરી જીવન સારું બનાવવા ભવિષ્યમાં શું થઈ શકે એ માટે એ થિન્કિંગ સેન્ટરની ગરજ પણ સારશે. એના પર કંડારાયેલા શેખ મહમ્મદ બિન રાશીદ અલ મખ્તોમના શબ્દોનો સાર આ પ્રમાણે છેઃ
“આપણે ભલે સો વરસ ના જીવીએ પણ એવું કશુંક જરૂર સર્જી શકીએ છીએ જે સેંકડો વરસ ટકે.”
“ભવિષ્ય એમનું છે જેઓ વિચાર, ડિઝાઇન અને નિર્માણ કરી શકે છે. ભવિષ્ય પ્રતીક્ષા કરતું નથી. એને આજે ડિઝાઇન કરીને ઘડવાનું હોય છે.”
“જીવનના નૂતનીકરણ, સમાજની પ્રગતિ અને માનવતાના વિકાસને એકતાંતણે બાંધતો શબ્દ છેઃ આવિષ્કાર.”
એની ઇમારત વટેમાર્ગુઓને પણ છક્ક કરનારી છે. એમાં સાત માળ છે. અમારી મુલાકાત બપોરે હતી. અમે સ્પેસશિપ જેવી લિફ્ટથી ત્રીજા માળે પહોંચ્યાં. અમારે 2071ની સાલનું બાહ્ય વિશ્વદર્શન કરવાનું હતું. મુલાકાતીઓને સમજવામાં અનુકૂળતા રહે એ માટે અનાઉન્સર હતા. પૃથ્વીથી આગળની દુનિયાનો આ અનુભવ આહ્લાદક હતો. અમુક ગેજેટ્સ થકી ફોટો લઈ પોતાને સ્પેસ ટ્રાવેલર તરીકે જોવાની પણ મજા પડી.
આગળના વિભાગ રસપ્રદ હતા. પર્યાવરણ, પંચતત્ત્વો વગેરે સાંકળતી બાબતો મુખ્ય હતી. ટેક્નોલોજી થકી તમામ ચીજો સાકાર થઈ રહી હતી. એક વિભાગ હતો લાઇબ્રેરી ઓફ લાઇફ જેમાં અસંખ્ય જીવોના (કાલ્પનિક) ડીએનએ કાચની બરણીઓમાં હતાં. અંઘારા વચ્ચે વિવિધરંગી રોશનીથી એ વિભાગ અનોખો લાગી રહ્યો હતો. એક વિભાગમાં ઇન્દ્રિયોની શક્તિની વાતો ઉજાગર કરાઈ છે. અનેક લોકોનો ઓમ્ જેવો ઉચ્ચાર ભેગો થાય તો ધ્વનિશક્તિના વિલીનીકરણથી શું થાય એ દર્શાવાયું હતું. મ્યુઝિયમની ખાસિયતોનું શાબ્દિક વર્ણન અઘરું છે કેમ કે એ અનુભૂતિની ચીજો હતી.
Continue reading
Share:
Reading time: 1 min
Entertainment

આવનારી ક્ષણ ચકિત કરી દે તો રાજી રહો

November 21, 2022 by egujarati No Comments

આવનારી ક્ષણ ચકિત કરી દે તો રાજી રહો

બંધિયાર બાબત ક્યારેય સારી હોતી નથી. એકના એક ઠામમાં પડયું પાણી ગંધાવા માંડે છે. બંધ ઓરડાની હવા અજંપો સર્જે છે. બંધિયાર જિંદગી માણસને નબળું પાડે છે. પરિવર્તન, અનિશ્ચિતતા અને અકળતા જીવનને રોચક બનાવે છે. અણધારી ઘટના કાયમ અણગમતી કે નુકસાનદાયી હોતી નથી. ટૂંકા અથવા લાંબા ગાળે પણ એમાંથી કશુંક ઉપજે અને એ લાભદાયી હોઈ પણ શકે છે. બોસ ક્યારેક ટપારે એમાં પણ ફાયદો હોઈ શકે છે.

ક્યારેક ભાવતું ભોજન ના મળે એ પણ સારો સંકેત હોઈ શકે છે. અનિશ્ચિતતાની ઉત્તેજના જીવનનું મેેઘધનુષ છે. બધું લયબદ્ધ અને ગણતરીપૂર્વક ચાલે એમાં મજા નથી. ઈશ્વર માપસર ઠંડી, ગરમી કે વરસાદ આપતો નથી. માપસર જીવવા મળે તો જીવન વાસ્તવમાં જીવન નહીં, નરી ફોર્મ્યુલા બની જાય. ખુશી એ માણો કે બધું અપેક્ષા પ્રમાણે નથી ચાલતું. આવનારી ક્ષણ ચકિત કરી દે તો રાજી રહો. નિશ્ચિત રિધમ એટલે બંધિયારપણું. એ જાય તો જાદુ થાય. એક નહીં, સો વખત થાય. થવા દો જાદુ અને માણો જીવન.

– સંજય વિ. શાહ

Share:
Reading time: 1 min
Page 29 of 32« First...1020«28293031»...Last »

About Me

image Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career. Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!

Socialize with me

Popular Posts

નાથદ્વારા બદલાઈ રહ્યું છે

November 20, 2022

વેલકમ 2023 આ વર્ષે ઓટીટી પર શું જોશો?

January 6, 2023
વારાણસી ડાયરી – ભાગ 01

વારાણસી ડાયરી – ભાગ 01

November 3, 2022

Categories

  • Editor's choice
  • Entertainment
  • Lifestyle
  • Literature
  • Rankaar
  • Travel
  • Uncategorized

Search

Recent Posts

હીરાની ચોરી અને ફિલ્મી કીડો

હીરાની ચોરી અને ફિલ્મી કીડો

May 2, 2025
ચીની ફિલ્મ યોલોઃ જેણે જિયાને વૈશ્વિક નામના અપાવી

ચીની ફિલ્મ યોલોઃ જેણે જિયાને વૈશ્વિક નામના અપાવી

April 25, 2025
This error message is only visible to WordPress admins

Error: No feed found.

Please go to the Instagram Feed settings page to create a feed.

© 2022 copyright Sanjay V Shah // All rights reserved
Designed by Mangrol Multimedia Ltd.